Union Budget 2023 : છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વ્યાજદરોમાં અનેકવિધ વધારાથી ખાસ કરીને એવા દેવાદારોને અસર થઈ છે જેમણે ફ્લોટિંગ રેટ પર હોમ લોન જેવી લોન લીધી છે. જો કે, હજુ પણ આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધુ વધારો થવાની આશંકા છે. આવી સ્થિતિમાં, ઘર ખરીદનારાઓ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પાસેથી સામાન્ય બજેટ 2023 માં થોડી રાહતની આશા રાખી રહ્યા છે. ઘર ખરીદનારાઓને બજેટમાંથી શું જોઈએ છે?

