Get App

મોટાભાગના ટેક્સ પેયર માટે હશે એક જ ITR ફોર્મ, Form 1 અને 4 અસ્તિત્વમાં રહેશે

ટેક્સ નિયમો, ખાસ કરીને ITR ફાઇલિંગની પ્રોસેસને આસાન બનાવીને ટેક્સ કંપ્લાયન્સ વધશે. તેનાથી ટેક્સ કલેક્શનમાં પણ વધારો થશે. અત્યારે સરકાર દ્વારા ટેક્સ કલેક્શન વધારવાની ખૂબ જ જરૂર છે. હકીકતમાં એક તરફ સરકાર પર તેની નાણાકીય સ્થિતિને પાટા પર લાવવાનું દબાણ છે, તો બીજી તરફ તેના માટે મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત ટેક્સવું પણ જરૂરી છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 27, 2022 પર 12:06 PM
મોટાભાગના ટેક્સ પેયર માટે હશે એક જ ITR ફોર્મ, Form 1 અને 4 અસ્તિત્વમાં રહેશેમોટાભાગના ટેક્સ પેયર માટે હશે એક જ ITR ફોર્મ, Form 1 અને 4 અસ્તિત્વમાં રહેશે

Union Budget 2023 : ટેક્સ ઓથોરિટિઝ મોટાભાગના ટેક્સ પેયર માટે એક સામાન્ય ITR ફોર્મ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ITR-1 અને 4 ચાલુ રહેશે. ટેક્સ પેયર કે જેઓ હાલમાં ITR-1 અને ITR-4 નો ઉપયોગ કરી રહ્યા છે તેમની પાસે સામાન્ય ITR ફોર્મ (નવું) અથવા પહેલાથી અસ્તિત્વમાં રહેલા કોઈપણ ફોર્મનો ઉપયોગ ટેક્સવાનો ઓપ્શન હશે. હાલમાં આવકવેરા રિટર્ન ફાઇલિંગ માટે 7 પ્રકારના ફોર્મ છે. વિવિધ પ્રકારના ટેક્સ પેયર આ ફોર્મનો ઉપયોગ કરે છે. નિષ્ણાતો કહે છે કે સરકારે આવકવેરા ફાઇલિંગને આસાન બનાવવાની જરૂર છે. હાલમાં અનેક પ્રકારના ફોર્મના કારણે ટેક્સ પેયર મુંઝવણમાં મુકાય છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે તે ટેક્સ ફાઇલિંગ માટે ITR ફોર્મની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી શકે છે.

નિષ્ણાંતો કહે છે કે ટેક્સ નિયમોને આસાન બનાવવાથી ટેક્સ કંપ્લાયન્સ વધશે, ખાસ કરીને ITR ફાઇલિંગની પ્રોસેસ. તેનાથી ટેક્સ કલેક્શનમાં પણ વધારો થશે. અત્યારે સરકાર દ્વારા ટેક્સ કલેક્શન વધારવાની ખૂબ જ જરૂર છે. વાસ્તવમાં, એક તરફ સરકાર પર તેની નાણાકીય સ્થિતિ પાટા પર લાવવાનું દબાણ છે અને બીજી તરફ તેના માટે મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત ટેક્સવું પણ જરૂરી છે. અમેરિકા, ઈંગ્લેન્ડ જેવી મોટી અર્થવ્યવસ્થાઓ મુશ્કેલીમાં છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, સરકાર માટે મૂડીખર્ચ સહિતના વિકાસ વધારવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત ટેક્સવું જરૂરી છે.

નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાએ કહ્યું કે આ બજેટ પોતાનામાં જ ખાસ છે, કારણ કે કોરોનાની રિકવરી બાદ કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા સરકાર એવું કોઈ પગલું ભરવા માંગતી નથી, જેનાથી લોકોમાં ખરાબ સંકેત જાય. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યક્તિગત આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ વચ્ચેનું અંતર વધ્યું છે. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય માણસને રાહત આપવા માટે પગલાં લે તે સમયની જરૂરિયાત છે. વ્યક્તિગત ટેક્સ પેયર માટે વ્યક્તિગત ટેક્સ પ્રણાલીમાં ફેરફાર ટેક્સવાની જરૂર છે. તેનાથી સરકારને ટેક્સ કલેક્શન વધારવામાં પણ મદદ મળશે.

આ પણ વાંચો - ચીનમાં કોરોનાથી હાહાકાર... ભારતમાં ફૂટશે “મોંઘવારી બોમ્બ”, જાણો 5 પોઈન્ટમાં કેવી રીતે?

ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર રોહિંગ્ટન સિધવાએ કહ્યું કે એવી અપેક્ષા છે કે G20 મીટિંગમાં આવા એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત ટેક્સવામાં આવશે, જે વિકાસશીલ દેશોને તેમના ટેક્સ કલેક્શનમાં વધારો ટેક્સવામાં મદદ ટેક્સશે. આ પહેલા સરકાર તેની ટેક્સ સિસ્ટમને પારદર્શક, આસાન અને મજબૂત બનાવવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટમાં આ માટે કેટલાક પગલાં લઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો