Budget 2023: એગ્રી સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ કરવા માટે આજે તેના બજેટ ભાષમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ એક અગ્રીકલ્ચપ એક્સીલેરેટર ફંડની જાહેરાત કરી છે. આ ફંડના દ્વરા ખેડૂતોને તેમની તમામ સમસ્યા પર સમાધાન મળશે. તેના દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલૉજી લવામાં આવશે અને કૃષિ ક્ષેત્રના ઉત્પાદનના વધારામાં પણ સહાયતા મળશે. એક્સપર્ટની સલાહ છે કે એગ્રી સ્ટાર્ટ-અપ્સ માટે યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડનું ગઠન એક ખૂબ જ સારો નિર્ણય છે કારણ કે છેલ્લા એક દશકમાં જે રીતે એગ્રી સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં વધારો થયો છે, તેમાંના મોટા ભાગના IIT, IIM જેવા સંસ્થાનોનું છે. આ નિર્ણયથી ગ્રામીણ યુવાનોને એગ્રી સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં મદદ કરશે.

