Budget 2023: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લાંબા સમય બાદ આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષ 2014 પછી પ્રથમ વખત ટેક્સ મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. તે જ સમયે, આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. જોકે, આ રાહત નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ છે. જૂની ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ મૂળભૂત મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધીને 3 લાખ રૂપિયા થઈ ગઈ છે.

