Get App

Adani Wilmar Q4 Results: માર્ચ ક્વાર્ટરમાં 59% ઘટીને 93.61 કરોડ રૂપિયા રહ્યો, આવક પણ ઘટી

અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મર (Adani Wilmar) એ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રૉફિટ 59 ટકા ઘટીને 93.61 કરોડ રૂપિયા થઈ ગયો છે.

MoneyControl Newsઅપડેટેડ May 03, 2023 પર 4:56 PM
Adani Wilmar Q4 Results: માર્ચ ક્વાર્ટરમાં 59% ઘટીને 93.61 કરોડ રૂપિયા રહ્યો, આવક પણ ઘટીAdani Wilmar Q4 Results: માર્ચ ક્વાર્ટરમાં 59% ઘટીને 93.61 કરોડ રૂપિયા રહ્યો, આવક પણ ઘટી
પૂરા FY23 માં અદાણી વિલ્મરના રાજસ્વ 58,185 કરોડ રૂપિયા રહ્યા, જ્યારે પ્રૉફિટ ઑફ્ટર ટેક્સ (PAT) 582 કરોડ રૂપિયા રહ્યા.

Adani Wilmar Q4 Results: અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મર (Adani Wilmar) એ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રૉફિટ 59 ટકા ઘટીને 93.61 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીએ છેલ્લા વર્ષની સમાન ક્વાર્ટરમાં 219.23 કરોડ રૂપિયાનો નફો દર્જ કર્યો હતો. કંપનીના ઓપરેશનથી થવા વાળા રાજસ્વ વર્ષના આધાર પર 7 ટકા ઘટીને 13,872.64 કરોડ રૂપિયા રહી ગયા છે. ગત વર્ષની સમાન ક્વાર્ટરમાં આ આંકડા 14,917.26 કરોડ રૂપિયા હતા.

પૂરા FY23 માં કેવુ રહ્યુ પ્રદર્શન?

પૂરા FY23 માં અદાણી વિલ્મરના રાજસ્વ 58,185 કરોડ રૂપિયા રહ્યા, જ્યારે પ્રૉફિટ ઑફ્ટર ટેક્સ (PAT) 582 કરોડ રૂપિયા રહ્યા. તે છેલ્લા નાણાકીય વર્ષમાં 803.73 કરોડ રૂપિયાના નફાથી 28 ટકા ઓછો છે. જો કે, આ સમયના દરમ્યાન ઑપરેશનથી તેના રાજસ્વ 7 ટકાથી વધારે વધીને 58,184.81 કરોડ રૂપિયા થઈ ગયા.

તેની પહેલા પોતાના ક્વાર્ટર અપડેટમાં અદાણી વિલ્મરે કહ્યુ હતુ કે FY23 માં તેના કારોબાર 55,000 કરોડ રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના વૉલ્યૂમમાં વર્ષના આધાર પર 14 ટકાથી વધારે વધારો થયો છે. અદાણી ગ્રુપની આ ફર્મે ફૂડ અને FMCG સેગમેન્ટમાં FY23 માં રાજસ્વમાં 55 ટકાનો વધારો દર્જ કર્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો