GoFirst નાદારીની અરજી દાખલ કરવાના સમાચાર વચ્ચે આ અપડેટ આવ્યું છે. કંપનીના CEO કૌશિક ખોનાએ સ્પષ્ટતા કરી છે કે GoFirstએ નાદારી માટે અરજી કરી નથી. તેમણે કહ્યું છે કે કંપનીએ રિઝોલ્યુશન પ્રક્રિયા માટે અરજી આપી છે. તેમણે કહ્યું કે કંપનીએ NCLTમાં અરજી દાખલ કરી છે અને એરલાઈન્સની સંપત્તિ બચાવવા માટે મદદ માંગી છે. અગાઉ એવા અહેવાલ હતા કે GoFirst એ NCLTમાં નાદારી માટે અરજી દાખલ કરી છે.

