Get App

Ujjivan SFB Q1: કંપનીનો નફો 59.7% વધ્યો, વ્યાજ આવક 32.1% વધી

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 59.7 ટકા વધીને 324.1 કરોડ રૂપિયા થઈ ગયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 27, 2023 પર 1:47 PM
Ujjivan SFB Q1: કંપનીનો નફો 59.7% વધ્યો, વ્યાજ આવક 32.1% વધીUjjivan SFB Q1: કંપનીનો નફો 59.7% વધ્યો, વ્યાજ આવક 32.1% વધી
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના ગ્રૉસ એનપીએ 2.88 ટકાથી ઘટીને 2.62 ટકા રહ્યા છે.

Ujjivan SFB Q1 Results: નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 59.7 ટકા વધીને 324.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 203 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકની વ્યાજ આવક 32.1 ટકા વધીને 792.4 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકની વ્યાજ આવક 599.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના ગ્રૉસ એનપીએ 2.88 ટકાથી ઘટીને 2.62 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના નેટ એનપીએ 0.04 ટકાથી વધીને 0.06 ટકા રહ્યા છે.

રૂપિયામાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 630.6 કરોડ રૂપિયાથી ઘટીને 596.5 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 9.0 કરોડ રૂપિયાથી વધીને 12.6 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો