Get App

Ujjivan Small Finance Bank Q2 Results: ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4% વધીને ₹328 કરોડ, વ્યાજ આવક 24.1% વધી

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4 ટકા વધીને 327.7 કરોડ રૂપિયા થઈ ગયો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 27, 2023 પર 3:34 PM
Ujjivan Small Finance Bank Q2 Results: ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4% વધીને ₹328 કરોડ, વ્યાજ આવક 24.1% વધીUjjivan Small Finance Bank Q2 Results: ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4% વધીને ₹328 કરોડ, વ્યાજ આવક 24.1% વધી
પ્રાઈવેટ સેક્ટર બેંક ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંક એ આજે એટલે કે 27 ઑક્ટોબરના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા.

Ujjivan Small Finance Bank Q2 Results: પ્રાઈવેટ સેક્ટર બેંક ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંક એ આજે એટલે કે 27 ઑક્ટોબરના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા. બેંક દ્વારા રજુ થયેલા આંકડાઓના મુજબ નફો 328 કરોડ રૂપિયા થયો. જ્યારે વ્યાજ આવક 823.3 કરોડ રૂપિયા પર પહોંચી છે. ત્યારે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ના ગ્રોસ નૉન-પરફૉર્મિંગ અસેટ (GNPA) માં પણ ઘટાડો જોવાને મળ્યો.

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 11.4 ટકા વધીને 327.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકનો નફો 294.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકની વ્યાજ આવક 24.1 ટકા વધીને 823.3 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકની વ્યાજ આવક 663.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંકના ગ્રૉસ એનપીએ 2.62 ટકાથી વધીને 2.35 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સના નેટ એનપીએ 0.06 ટકાથી વધીને 0.09 ટકા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો