GUJARAT ELECTIONS 2022: ગુજરાતના છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવના નિવેદનને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું છે. પંચે આ મામલે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. બીજી તરફ પોતાના નિવેદન અંગે તેમણે કહ્યું કે હું બજરંગ બલીનો ભક્ત છું. મધુ શ્રીવાસ્તવે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ભાજપ દ્વારા ટિકિટ ન મળવાથી નારાજ છે. આ પહેલા તેમણે ભાજપમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.

