કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં વિદેશ મંત્રી રહી ચુકેલા સલમાન ખુર્શિદે રાહુલ ગાંધીને ભગવાના રામ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને ભરત ગણાવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, સલમાન ખુર્શીદે કહ્યુ છે કે ભગવાન રામની ખડાઉ ઘણી દૂર સુધી જાય છે. ક્યારેક-ક્યારેક રામજી નથી પહોંચી શકતા, તો ભરત ખડાઉ લઈને સ્થાન-સ્થાન પર જાય છે. આવી જ રીતે અમે યુપીમાં ખડાઉ લઈને આવ્યા છે. હવે ખડાઉ આવી ગઈ છે, તો રામજી પણ આવશે.

