સીઆઈઆઈ સમિટમાં સંબોધન દરમ્યાન સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે કહ્યું કે નાણાંકીય વર્ષ 2024ના અંત સુધીમાં બજાર T+0 સેટલમેન્ટ તરફ વળી જશે. આ સાથે તેમણે કહ્યું કે બ્રોકરોએ ટેક્નોલોજી અપગ્રેડેશનમાં રોકાણ કરવું જોઇએ જેથી રિસ્ક મેનેજમેન્ટ ઓછું થાય છે.


સીઆઈઆઈ સમિટમાં સંબોધન દરમ્યાન સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે કહ્યું કે નાણાંકીય વર્ષ 2024ના અંત સુધીમાં બજાર T+0 સેટલમેન્ટ તરફ વળી જશે. આ સાથે તેમણે કહ્યું કે બ્રોકરોએ ટેક્નોલોજી અપગ્રેડેશનમાં રોકાણ કરવું જોઇએ જેથી રિસ્ક મેનેજમેન્ટ ઓછું થાય છે.
આપણે T+2 થી T+1 સેટલમેન્ટ તરફ વળ્યા છે. નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં T+0 સેટલમેન્ટ તરફ વળીશું. મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસની વચ્ચે નવું એસેટ ક્લાસ બનાવાશે. બજારના સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને નવા નિયમો બનાવવાનું કામ ચાલુ કરી રહ્યા છે. બ્રોકર રિસ્ક ઓછું કરવા પર કામ કરી રહ્યા છે.
ટેક્નોલોજી પર રોકાણ વધારવાની જરૂરત રહી છે. સાઇબર સિક્યોરિટી પર પણ બ્રોકર ફોકસ કરી રહ્યા છે. બ્રોકરની સિસ્ટમ ડાઉન થવા પર એક્સચેન્જને પાવર આપ્યો હતો. એક્સચેન્જ પર પણ હવે સોદાનું સેટલમેન્ટ શક્ય બની શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.