UAE Hindu Mandir: પરિસરમાં વહે છે ગંગા-યમુનાનો પ્રવાહ, 108 ફૂટ ઊંચાઈ, અબુધાબીમાં સનાતનની જ્યોત જગાડી રહ્યું છે પહેલું હિન્દુ મંદિર, જાણો તેની વિશેષતાઓ
UAE Hindu Mandir: આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. તે લગભગ 27 એકર જમીન પર બનેલું છે, જે દુબઈ-અબુ ધાબી શેખ જાયદ હાઈવે પર સ્થિત છે.
UAE Hindu Mandir: આ મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે.
UAE Hindu Mandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. તેઓ અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરને હરિભક્તોને સમર્પણ કરી રહ્યાં છે. દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPSએ તેનું નિર્માણ કર્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા પાત્રોમાં લઇ જવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગંગાનું પાણી જ્યાં વહે છે તે બાજુએ ઘાટ આકારનું એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું છે.
મંદિરમાં ગંગા અને યમુનાના પવિત્ર જળ ઉપરાંત રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોન અને લાકડાના બોક્સમાંથી બનાવેલા ફર્નિચરનો ઉપયોગ પણ મંદિરમાં કરવામાં આવ્યો છે. અબુ ધાબીમાં આવેલું આ મંદિર પ્રથમ હિંદુ મંદિર છે, જે દેશના વિવિધ ભાગોના યોગદાનથી બનેલું આર્કિટેક્ચરલ અજાયબી છે અને હિન્દુસ્તાની કારીગરીનું પ્રતીક છે.
આ ઐતિહાસિક મંદિરના મુખ્ય સ્વયંસેવક વિશાલ પટેલે મંદિરની બંને બાજુએ ગંગા-યમુનાના પાણીને વહેવા પાછળના કારણનો ઉલ્લેખ કરતા કહ્યું, "આની પાછળનો વિચાર તેને વારાણસીના ઘાટ જેવો બનાવવાનો છે, જ્યાં લોકો બેસી શકે છે, ધ્યાન કરી શકે છે અને ભારતમાં બનેલા ઘાટની યાદો તેમના મગજમાં તાજી થઈ જાય છે. જ્યારે પ્રવાસીઓ પ્રવેશ કરશે, ત્યારે તેઓ પાણીના બે પ્રવાહો જોશે જે પ્રતીકાત્મક રીતે ભારતની ગંગા અને યમુના નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘ત્રિવેણી' સંગમ બનાવવા માટે, મંદિરની રચનામાંથી પ્રકાશનું કિરણ આવશે જે સરસ્વતી નદીને પ્રતિબિંબિત કરશે.
મંદિરની વિશેષતાઓ
આ હિંદુ મંદિર લગભગ 27 એકર જમીન પર બનેલ છે, જે દુબઈ-અબુ ધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહબા પાસે આવેલું છે. તે બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા 25,000થી વધુ પથ્થરના ટુકડાઓમાંથી કોતરવામાં આવેલા મંદિરના આગળના ભાગમાં રેતીના પથ્થર પર આરસની ઉત્કૃષ્ટ કોતરણી છે. મંદિર માટે ઉત્તર રાજસ્થાનથી ગુલાબી રેતીના પથ્થરનો મોટો જથ્થો અબુ ધાબી લાવવામાં આવ્યો છે.
ભારતમાંથી કન્ટેનરમાં લાવેલા પથ્થરો
મંદિરના સ્થળ પર પ્રાપ્તિ અને સામગ્રીની દેખરેખ રાખતા વિશાલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મંદિરના નિર્માણ માટે 700 થી વધુ કન્ટેનરમાં બે લાખ ઘનફૂટથી વધુ 'પવિત્ર' પથ્થર લાવવામાં આવ્યો છે. "ગુલાબી સેંડસ્ટોન ભારતમાંથી લાવવામાં આવ્યો છે," તેમણે કહ્યું. પથ્થરની કોતરણી સ્થાનિક શિલ્પકારો દ્વારા કરવામાં આવી છે અને તે અહીં કામદારો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આ પછી કલાકારોએ અહીં ડિઝાઇન ફાઇનલ કરી છે.
અબુધાબીમાં જે લાકડાના બોક્સ અને કન્ટેનરમાં પથ્થરો લાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ મંદિરમાં ફર્નિચર બનાવવા માટે કરવામાં આવ્યો છે. BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે, “મંદિરમાં પ્રાર્થના હોલ, કાફેટેરિયા, કોમ્યુનિટી સેન્ટર વગેરેમાં રાખવામાં આવેલું ફર્નિચર પત્થરો લાવવા માટે વપરાતા બોક્સ અને કન્ટેનરના લાકડામાંથી બનાવવામાં આવે છે. મંદિરના દરેક ખૂણામાં ભારતનો એક ભાગ છે.
2019થી મંદિર નિર્માણ કાર્ય
આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર રહશે.
આ મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે.