Bank Holidays: સરકારી બેન્કોમાં કામ કરતા કર્મચારીઓને સારા સમાચાર મળવાના છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર શનિવારે રજા પર નિર્ણય લઈ શકે છે. દેશની પ્રાઇવેટ સેક્ટરની બેન્કોની મેનેજિંગ સંસ્થા ઇન્ડિયન બેન્ક એસોસિએશને જુલાઈ મહિનામાં જ સરકારને આ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે. રાજ્યસભાના સાંસદ સુમિત્રા બાલ્મીકે નાણાપ્રધાનને પૂછ્યું કે શું પ્રાઇવેટ સેક્ટરની બેન્કોમાં પાંચ દિવસના કાર્યકાળને લઈને ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન દ્વારા સરકારને કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શું સરકાર તેનો અમલ કરવાનું વિચારી રહી છે? સાંસદના પ્રશ્નનો લેખિત જવાબ આપતાં નાણા રાજ્યમંત્રી ભગવત કરડે જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા સરકારને દરખાસ્ત આપવામાં આવી છે. જો કે, તેમના જવાબમાં તેમણે જણાવ્યું નથી કે આ પ્રસ્તાવ પર સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેમણે માહિતી આપી હતી કે ઇન્ડિયન બેન્ક એસોસિએશન અને બેન્ક યુનિયનો વચ્ચે 28 ઓગસ્ટ, 2015ના રોજ થયેલા કરારના આધારે, અત્યાર સુધી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે.

