Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા. અને મંચ પરથી સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. ગોવિંદદેવગીરીજી મહારાજે 11 દિવસના ઉપવાસ પૂર્ણ કરીને પારણાં કરાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આજનો દિવસ કૃતજ્ઞતાથી ભરેલો છે. રાષ્ટ્ર અને વિશ્વ આજે અલૌકિક ક્ષણના સાક્ષી છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા નથી પણ દેશના સ્વાભિમાનની ગરિમા છે. વર્ષોથી આ ક્ષણ માટે રાહ જોતા હતા. કોઈ એક વિભૂતિના કારણે યુગ પરિવર્તિત થઈ જાય છે. આવા જીવન સાધક પ્રધાનમંત્રીજી મળ્યા છે. આ માત્ર આ દેશનું નહીં, વિશ્વનું સૌભાગ્ય છે કે આપણને રાજદર્શી પ્રાપ્ત થયા. મને એ વાતનું આશ્ચર્ય થયું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે પોતે શું શું સિદ્ધ કરવું પડે, તેની નિયમાવલી મોંકલો. આવી વાત બહુ સારી કહેવાય. અમે ત્રણ દિવસના ઉપવાસ કરવાનું કહેલું પણ એમણે 11 દિવસના પૂર્ણ ઉપવાસ કર્યા.

