Get App

ગુજરાત ચૂંટણીઃ 100 વર્ષથી ઉપરના 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો કરશે ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે: શ્રીમતી પી. ભારતી

MoneyControl Newsઅપડેટેડ Nov 22, 2022 પર 7:42 PM
ગુજરાત ચૂંટણીઃ 100 વર્ષથી ઉપરના 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો કરશે ઉપયોગ ગુજરાત ચૂંટણીઃ 100 વર્ષથી ઉપરના 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો કરશે ઉપયોગ

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે, શ્રીમતી પી. ભારતીએ આ વિશે માહિતી આપી હતી, જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ નોંધાયા છે, તો સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં, સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લાઓમાં ડાંગ, તાપી, નર્મદા, પોરબંદર અને પાટણમાં નોંધાયા છે.

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
- 182 બેઠક પર કુલ 1621 ઉમેદવાર મેદાને
- પ્રથમ તબક્કામાં 89 બેઠક પર 788 ઉમેદવાર
- બીજા તબક્કામાં 93 બેઠક પર 833 ઉમેદવાર
- 1 ડિસેમ્બરે પ્રથમ,5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
- 8 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બન્ને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતા નોંધાયા છે. જેમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે.

ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં 1,500, બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 તેમજ પાટણ જિલ્લામાં 125 શતાયુ મતદારો નોંધાયા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 628, રાજકોટમાં 547, કચ્છમાં 444, જુનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 તેમજ પોરબંદરમાં 109 શતાયુ મતદારો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો