Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પડકારને અવગણીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી કદાચ ખાતું પણ ખોલાવી શકશે નહીં. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય એકમના સંકલ્પ પત્રમાં એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપના કરવાના વચનને સારી પહેલ ગણાવી હતી અને કહ્યું હતું કે, કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકારોએ પણ તેનું પાલન કરવું જોઈએ. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપ્યું છે.

