મહારાષ્ટ્રમાં રવિવારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજિત પવાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા છે. તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. ડેપ્યુટી સીએમ બનતાની સાથે જ અજિત પવારે હવે એનસીપી પર દાવો કર્યો છે. પવારે કહ્યું કે પાર્ટીનું નામ અને ચિન્હ પણ મારી પાસે જ રહેશે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે અમે NCPના પાર્ટી સિમ્બોલ પર લડીશું. અજિતે વધુમાં કહ્યું કે અમે માત્ર NCP તરીકે સરકારને સમર્થન આપ્યું છે. અજિત પવારની સાથે NCPના 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે.

