Get App

PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, સેંગોલની પણ થઈ સ્થાપના, PM મોદીએ સેંગોલ સમક્ષ ઝુકાવ્યું શીશ

પીએમ મોદી ટ્રેડિશનલ પોશાકમાં નવા સંસદભવનની અંદર આવ્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમએ પણ સેંગોલને નમન કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. આ સાથે જ ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી હતી. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

MoneyControl Newsઅપડેટેડ May 28, 2023 પર 10:40 AM
PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, સેંગોલની પણ થઈ સ્થાપના, PM મોદીએ સેંગોલ સમક્ષ ઝુકાવ્યું શીશPM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, સેંગોલની પણ થઈ સ્થાપના, PM મોદીએ સેંગોલ સમક્ષ ઝુકાવ્યું શીશ
નવા સંસદભવનના ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તેમાં 12 ધર્મોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને નવી સંસદ માટે પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે, નવું સંસદ ભવન દેશ અને તેની જનતાને સમર્પિત કરવામાં આવ્યું છે. હવે સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બીજો તબક્કો બપોર બાદ શરૂ થશે. આ દરમિયાન લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પોતાનું સંબોધન આપશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સંદેશ પણ વાંચવામાં આવશે. આ પછી પીએમ મોદીનું સંબોધન પણ થશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ મહાનુભાવો રહ્યા હાજર

પીએમ મોદી ટ્રેડિશનલ પોશાકમાં નવા સંસદભવનની અંદર આવ્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમએ પણ સેંગોલને નમન કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. આ સાથે જ ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી હતી. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. પીએમ મોદીએ સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા કેટલાક કર્મચારીઓનું પણ સન્માન કર્યું હતું.

સર્વધર્મ પ્રાર્થના

બધા સમાચાર

+ વધુુ વાંચો