બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખને ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપ્યા છે. જો કે, દેશમુખ જેલમાંથી બહાર આવે તેવી શક્યતા નથી કારણ કે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે સમય માંગ્યો છે. 74 વર્ષીય નેતા હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

