ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં દેશની સરહદ પર ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે ભારત ચીન અથડામણ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. તેમણે બુધવારે કેન્દ્રને ચીન સાથે તમામ વેપાર બંધ કરવાની અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ પૂછ્યું કે “આપણે ચીન સાથેનો વેપાર કેમ બંધ નથી કરતા?” તેમણે દાવો કર્યો હતો કે ભારતની આયાત રોકવાથી બેઇજિંગને “પાઠ” શીખવવામાં આવશે અને ભારતમાં નોકરીઓનું સર્જન થશે.

