Rajasthan Congress: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર સચિન પાયલટને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક તરફ સચિન પાયલોટને ટેકો આપતા ધારાસભ્યો કોંગ્રેસ હાઈકમાન્ડ પર તેમને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યા છે. તો બીજીતરફ અશોક ગેહલોતે કહ્યું કે, કોઈ દેશદ્રોહીને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં. ગુરુવારે એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે પાયલોટને છ વખત દેશદ્રોહી કહહ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસમાં વધી રહેલા સંકટ વચ્ચે ગેહલોતનું નિવેદન આવ્યું છે.

