PANCHAYATI RAJ SYSTEM: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા, અને ભવ્ય જૂની પાર્ટીને "ભ્રષ્ટાચારનો પર્યાય" ગણાવી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આઝાદીના ચાર દાયકા પછી પણ પાર્ટીને સમજાતું નહોતું કે ગામડાઓમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવી કેટલી જરૂરી છે. હરિયાણામાં આયોજિત બે દિવસીય પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચાર દાયકા દરમિયાન આ માટે કંઈ નક્કર કરવામાં આવ્યું નથી.

