Delhi-Vadodara Expressway: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ રાજ્યમાં આશરે રૂપિયા 19,260 કરોડના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સમગ્ર દેશમાં રોડ કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્ય સાથે, વડા પ્રધાન મોદી દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે, જે આશરે રૂપિયા 11,895 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, તેઓ રૂપિયા 1,880 કરોડથી વધુના પાંચ અલગ-અલગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

