ELECTIONS 2024: ભારત રત્ન પુરસ્કાર વિજેતા ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરને બુધવારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં વધુ મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે 'રાષ્ટ્રીય આઇકન' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેંડુલકર અને ચૂંટણી પંચ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર થઈ રહ્યાં છે. ત્રણ વર્ષની ડીલ હેઠળ તેંડુલકર મતદારોમાં જાગૃતિ ફેલાવશે.

