Gujarat Assembly Elections 2022: કૉંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેની "રાવણ" ટિપ્પણીનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, મુખ્ય વિપક્ષી દળના નેતાઓમાં તેમની સાથે દુર્વ્યવહાર કરવાની દોડ છે. ખડગે પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદી વિરુદ્ધ તેમના ઓકતને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

