Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક જાહેર સભા દરમિયાન ખંભાળિયામાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ખંભાળિયામાં જાહેર સભા કરવા આવ્યા હતા, પરંતુ તેમની સભામાં લોકો આવ્યા જ નહીં. અને આજે હજારો લોકો અમારી સભામાં હાજરી આપવા આવ્યા છે. દરેકના ચહેરા પર ખુશી છે, દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અહીં આવ્યા છે. ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજદિન સુધી ખંભાળિયામાંથી કોઈ મુખ્યમંત્રી નથી બન્યું. હવે 75 વર્ષ બાદ પ્રથમ વખત ખંભાળિયાના પુત્ર ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેથી જ આજે મને તમારા બધાની વચ્ચે આવીને ખૂબ જ ગર્વ થાય છે અને હું ખૂબ ખુશ પણ છું. ઘણી ચેનલો અહીંયા ત્યાં સર્વે બતાવે છે પણ સાચો સર્વે 8મી ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં 8મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ઇતિહાસ રચાશે.

