રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. જર્મનીએ આજે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, વાયનાડ સાંસદના કેસમાં "મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો" લાગુ થવા જોઈએ. જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે ભારતીય વિપક્ષી રાજનેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના સંસદીય આદેશને સસ્પેન્ડ કરવા માટેના કેસની પ્રાથમિક નોંધ લીધી છે." અમારી માહિતી અનુસાર, રાહુલ ગાંધી આ નિર્ણય સામે અપીલ કરવાની યોજના ધરાવે છે. સ્થિતિમાં છે."

