Karnataka CM: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. સીએમ પદના બંને મુખ્ય દાવેદાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હીમાં છે. માનવામાં આવે છે કે આજે એટલે કે બુધવારે (17 મે) પાર્ટી હાઈકમાન્ડ સાથે તેમની બેઠક બાદ કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને મજબૂત દાવાઓ ધરાવે છે, તેથી નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીને લઈને પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે બુધવારે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે શપથ ગ્રહણની તારીખ 18 મે નક્કી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ આ પદ માટે કોઈને પસંદ કરી શકી નથી.

