Karnataka-Maharashtra Border Dispute: મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ મંગળવારે વધી ગયો કારણ કે કોલ્હાપુરથી રાજ્ય પરિવહનની બસોને વિવાદિત સરહદી વિસ્તારોમાં જેમ કે બેલાગવી અને નિપાનીમાં જતી અટકાવવામાં આવી હતી. કર્ણાટકના દેખાવકારોએ કેટલીક બસોને પણ કાળી શાહીથી રંગાવી હતી. મહારાષ્ટ્રના રાજકીય નેતાઓએ કેન્દ્રના હસ્તક્ષેપની માગણી શરૂ કરી. કર્ણાટકના બેલગાવીમાં રાજ્યના વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

