Lok Sabha Election 2024: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના સાંસદોને સંબોધિત કર્યા હતા અને તેના ઘટક પક્ષો વચ્ચે સંકલન વધારવા અને 2024ની લોકસભા ચૂંટણી માટે શાસક ગઠબંધનની રણનીતિને આકાર આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ફરી એકવાર સાંસદોને વિવાદોથી બચવા માટે તેમના જાહેર નિવેદનો પર નજર રાખવાની સલાહ આપી. પીએમ મોદીએ કહ્યું, વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહો. દરેક સમયે કોઈપણ સંદર્ભ વગર બોલશો નહીં. PMએ NDA સાંસદોને 'નિરાશ' વિપક્ષથી સાવધાન રહેવા કહ્યું. જીતનો મંત્ર આપતા પીએમએ કહ્યું કે ગરીબી સૌથી મોટી જાતિ છે.

