NCPમાં મતભેદો અને શરદ પવારના ભત્રીજાએ ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા ઓગસ્ટમાં પ્રથમ વખત સ્ટેજ શેર કરશે. લોકમાન્ય તિલક મેમોરિયલ ટ્રસ્ટે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તિલક મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ રોહિત તિલકે સોમવારે આની જાહેરાત કરી હતી. આ એવોર્ડ સમારંભનું 41મું વર્ષ અને લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિ છે. એવોર્ડ સમારોહ 1 ઓગસ્ટ 2023ના રોજ પુણેમાં યોજાશે.

