કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી મદરેસામાં ધોરણ 1થી 5 સુધીના બાળકોને રૂ.1000ની શિષ્યવૃત્તિ મળતી હતી. સાથે જ ધોરણ 6થી 8ના બાળકોને અલગ અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી.

