ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા માણિક સાહાએ બુધવારે અગરતલા સ્વામી વિવેકાનંદ મેદાન ખાતે સતત બીજી મુદત માટે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સનાતન ચકમા, સુશાંત ચૌધરી, ટિંકુ રોય, વિકાસ દેબબર્મા, સુધાંશુ દાસ અને સુક્લા ચારણે અગરતલામાં ત્રિપુરા મંત્રી તરીકે શપથ લીધા. ત્રિપુરામાં ચૂંટણી પછીની હિંસાના વિરોધમાં વિપક્ષી ડાબેરીઓ અને કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા.

