Get App

સુરત પૂર્વ બેઠક પરથી AAPના ગુમ થયેલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી, ભાજપ પર અપહરણનો આરોપ

Gujarat Elections 2022: જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જરીવાલા અને તેમના પરિવારના સભ્યો મંગળવારથી ગાયબ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2022 પર 11:21 AM
સુરત પૂર્વ બેઠક પરથી AAPના ગુમ થયેલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી, ભાજપ પર અપહરણનો આરોપસુરત પૂર્વ બેઠક પરથી AAPના ગુમ થયેલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી, ભાજપ પર અપહરણનો આરોપ

Gujarat Elections 2022: ગુજરાતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. ત્યારબાદ AAPએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઈશારે જરીવાલાનો અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જરીવાલા અને તેમના પરિવારના સભ્યો મંગળવારથી ગાયબ છે.

સિસોદિયાએ કહ્યું કે, ભાજપ ગુજરાતની ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહી છે, અને તે નારાજ થઈને એટલા નીચા સ્તરે આવી ગઈ કે તેણે સુરત પૂર્વમાંથી અમારા ઉમેદવારનું અપહરણ કર્યું.

હારના ડરથી, ભાજપના ગુંડાઓએ સુરતના AAP ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કર્યું, સાથે જ તેમણે કહ્યું કે, ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો- ઘણા દિગ્ગજ ખેલાડીઓ IPLમાંથી આઉટ, હરાજી પહેલા જ બહારનો રસ્તો

તો આ તરફ AAPના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, શાસક પક્ષના દબાણ હેઠળ ઉમેદવારી પાછી ખેંચવા બુધવારે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે જરીવાલા રિટર્નિંગ ઓફિસરની ઑફિસે પહોંચ્યા હતા. અને ભાજપના ગુંડાઓએ તેમને ઘેરી લીધા હતા.

તેમણે કહ્યું કે, જ્યારે મિડીયાએ જરીવાલાની પૂછપરછ કરી, તો તેમની આસપાસ હાજર લોકો, તરત જ તેમને ત્યાંથી લઈ ગયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો