વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભારતનો ઈતિહાસ પરાક્રમથી ભરપૂર રહ્યો છે, પરંતુ કમનસીબે આઝાદી પછી પણ એ ઈતિહાસ ભણાવવામાં આવ્યો જેમાં સંસ્થાનવાદી શાસન દરમિયાન ષડયંત્ર રચાયું હતું. તેમણે કહ્યું કે આઝાદી પછી ભારતને ગુલામ બનાવનારા વિદેશીઓનો એજન્ડા બદલવાની જરૂર હતી, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.

