PM PRANAM Yojana: કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે PM પ્રમોશન ઑફ અલ્ટરનેટ ન્યુટ્રિઅન્ટ્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ યોજના (PM PRANAM) શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આજે આ યોજનાને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી શકે છે. આજે કેબિનેટ અને CCEA (ઈકોનોમિક અફેર્સ કેબિનેટ)ની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ યોજના હેઠળ ખેતીમાં રાસાયણિક ખાતરના ઓછામાં ઓછા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. બીજી તરફ ખેડૂતો ખાતર વિના ખેતી તરફ આગળ વધે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ યોજના દ્વારા સરકાર રાસાયણિક ખાતરની સબસિડી ઘટાડવા પર ભાર મૂકશે. આ યોજના માટે કોઈ અલગ બજેટ રહેશે નહીં.

