વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે દેશને “શોર્ટકટ પોલિટિક્સ”ની નહીં પણ સતત વિકાસની જરૂર છે. મોદીએ કેટલાક રાજકીય પક્ષો પર દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અગાઉ કરદાતાઓના પૈસા ભ્રષ્ટાચાર અને વોટ બેંકની રાજનીતિમાં વેડફાઈ ગયા હતા. 75,000 કરોડની કિંમતના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યા બાદ અહીં એક જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં માનવ પરિબળ સામેલ છે.

