Rahul Gandhi Criminal Defamation Case: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આખરે 2019ના ફોજદારી માનહાનિ કેસમાં તેમની સજા સામે સુરતની કોર્ટમાં અપીલ દાખલ કરી છે. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને હાલ સુરત કોર્ટમાંથી જામીન મળ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. આ પહેલા આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાએ સેશન્સ કોર્ટને તેમની બે વર્ષની સજાને સ્થગિત કરવા વિનંતી કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને રાજ્ય એકમોના નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી સોમવારે બપોરે 2.30 કલાકે સુરત પહોંચ્યા હતા.

