મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે ભૂકંપ આવી ગયો, જ્યારે વરિષ્ઠ નેતા શરદ પવારે તેમની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી. તેમણે પોતાના એક સંબોધનમાં કહ્યું કે, હું NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. શરદ પવારના આ નિર્ણયથી તેમના સમર્થકો ખુશ ન હતા અને સ્થળ પર જ તેઓએ આ જાહેરાતનો સખત વિરોધ કર્યો હતો.

