કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મળા સીતારમણે રવિવાર, 25 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે દેશોના પ્રવાસને ભારત માટે સન્માન સમાન ગણાવ્યું હતું અને પોતાના ફાયદા માટે "બિનજરૂરી મુદ્દાઓ" ઉઠાવવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી. ભારતમાં મુસ્લિમો સાથેના વ્યવહાર પર પીએમ મોદીના જવાબનો બચાવ કરતા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે તેમની સરકાર "સબકા સાથ, સબકા વિકાસ" ના સિદ્ધાંત પર કામ કરે છે અને કોઈ ચોક્કસ સમુદાયની તરફેણ કરતી નથી. ભેદભાવ કરતી નથી.

