Ayodhya Airport : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે 22 જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. પરંતુ આ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

