Get App

હવાઈ ​​મુસાફરી થઈ સસ્તી, દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ પેસેન્જરોને આપ્યું મોટું ડિસ્કાઉન્ટ

ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું છે કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર હવે મુસાફરો પાસેથી ફ્લયૂ ચાર્જ નહીં લેવામાં આવશે. ઈન્ડિગોએ 4 જાન્યુઆરીથી આ નિર્ણયનો અમલ કર્યો છે. ઈન્ડિગોના આ નિર્ણય બાદ હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને ટિકિટ પર 300 થી 1000 રૂપિયા સુધી ઓછા પૈસા ચૂકવવા પડશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2024 પર 8:00 PM
હવાઈ ​​મુસાફરી થઈ સસ્તી, દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ પેસેન્જરોને આપ્યું મોટું ડિસ્કાઉન્ટહવાઈ ​​મુસાફરી થઈ સસ્તી, દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ પેસેન્જરોને આપ્યું મોટું ડિસ્કાઉન્ટ

ઈન્ડિગો એરલાઈન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ઈન્ડિગોમાં મુસાફરી કરતા હવાઈ મુસાફરોએ આજથી ફ્લયૂ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઈન્ડિગો એરલાઈન્સે નિર્ણય લીધો છે કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર હવે મુસાફરો પાસેથી ફ્લયૂ ચાર્જ નહીં લેવામાં આવશે. આ નિયમ આજે એટલે કે 4 જાન્યુઆરીથી અમલ કર્યો છે. ઈન્ડિગોના મુસાફરોને ટિકિટ પર હવે 300 થી 1000 રૂપિયા સુધી ઓછા પૈસા ચૂકવવા પડશે.

ઈન્ડિગોના આ નિર્ણય બાદ હજારો મુસાફરોના ચહેરા પર ખુશી પરત આવી છે. કારણ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડિગોએ ફ્યુલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. હવે મુસાફરી કરનારા તે મુસાફરોએ 300 થી 1000 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં દિલ્હી, લખનૌ, પટના, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, અયોધ્યા અને વારાણસી સહિત દેશના તમામ શહેરોમાં મુસાફરી તમે ઓછા ભાવ પર કરી શકશે.

ઈન્ડિગોએ ફ્યુલ ચાર્જ લેવાનું બંધ કર્યું

ગયા વર્ષે ઓક્ટોબરથી એવિએશન ટર્બાઇન ફ્યૂલની સતત વધી રહેલી કિંમતોને કારણે ઇન્ડિગોએ ફ્યુલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ નિર્ણયને લઈને ભારી હોબાળો પણ થયો હતો. તમને જણાવી દઈએ કે એટીએફ કોઈ પણ એરલાઈન્સના ઑપરેટિંગ ખર્ચનો એક મોટો હિસ્સો છે. એટીએફ વધવાથી જાય છે. આવામાં ઈન્ડિગો આ નિર્ણય બાદ હવે મુસાફરોને ઘણી રાહત મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો