ઈન્ડિગો એરલાઈન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ઈન્ડિગોમાં મુસાફરી કરતા હવાઈ મુસાફરોએ આજથી ફ્લયૂ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઈન્ડિગો એરલાઈન્સે નિર્ણય લીધો છે કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર હવે મુસાફરો પાસેથી ફ્લયૂ ચાર્જ નહીં લેવામાં આવશે. આ નિયમ આજે એટલે કે 4 જાન્યુઆરીથી અમલ કર્યો છે. ઈન્ડિગોના મુસાફરોને ટિકિટ પર હવે 300 થી 1000 રૂપિયા સુધી ઓછા પૈસા ચૂકવવા પડશે.

