Ram Mandir Ayodhya: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેકને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો ત્યારે કોઈને વિશ્વાસ નહોતો કે રામભક્તો એટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે. અયોધ્યામાં રામ મંદિર માટે દાન આપનારા ઘણા રામ ભક્તો છે. રામ મંદિરને અત્યાર સુધીમાં 5000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રાસ્ક અનુસાર, મંદિરના સમર્પણ ફંડ ખાતામાં અત્યાર સુધીમાં 3200 કરોડ રૂપિયા આવ્યા છે.

