Ram Mandir: રામ મંદિરનું મુખ્ય માળખું રાજસ્થાનના ભરતપુરના બંસી પહાડપુરના ગુલાબી પથ્થરથી બનેલું છે. એવું કહેવાય છે કે ગુલાબી પથ્થર માત્ર મજબૂત જ નથી પણ તેનું આયુષ્ય પણ લાંબુ છે. મંદિર આ પથ્થરોથી જ બનાવવામાં આવ્યું છે અને તેમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

