Govardhan Helicopter Parikrama: ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવન જિલ્લામાં આવતા પ્રવાસીઓ હવે હેલિકોપ્ટર દ્વારા તીર્થસ્થળોની મુલાકાત લઈ શકશે. આ સાથે તેમને તાજનગરી માટે હેલિકોપ્ટર સેવાનો લાભ પણ મળશે. તેની કવાયત શરૂ થઈ ગઈ છે. આગ્રા અને મથુરામાં ફરવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બંને જગ્યાએ હેલીપોર્ટ તૈયાર છે. તે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડ પર ઓપરેટ થશે. પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહની હાજરીમાં પર્યતન ભવનમાં મેસર્સ રાજસ એરો સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર પ્રાઈવેટ લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર 25 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે. આ સ્થળોએ હેલીપોર્ટની સુવિધાથી દેશી-વિદેશી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને હવાઈ સેવાની તક મળશે. આનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, સ્થાનિક સ્તરે પ્રવૃત્તિઓ વધશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં રાજ્યના અન્ય મુખ્ય પ્રવાસન સ્થળો, લખનૌ, કપિલવસ્તુ, અયોધ્યા, વારાણસી અને નૈમિષારણ્ય પર જાહેર ખાનગી ભાગીદારી મોડ પર તેના સંચાલન માટે સંસ્થાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે.

