મોરબી પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટમાં સરકારે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો. દુર્ઘટના બાદ SITના રિપોર્ટને ધ્યાને લેતા કુલ 10ની ધરપકડ કરાઈ હોવાનો સરકારે રિપોર્ટ રજૂ કર્યો. ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલ સહિત ચાર આરોપીઓ હજુ પણ જેલમાં બંધ હોવાનો સરકારનો રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. 6 આરોપીઓને કોર્ટે જામીન મુક્ત કર્યા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે.

