Ayodhya: અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્ટેશનનું નામ અયોધ્યાધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી જ રેલવે મંત્રાલયે અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરી દીધું.

