Ayodhya Dham Junction: અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાના અભિષેક પહેલા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, રેલવે મંત્રાલયે અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરવાનો આદેશ જાહેર કર્યો હતો. એટલે કે ભગવાન રામની નગરીમાં બનેલું 'અયોધ્યા રેલવે સ્ટેશન' હવે 'અયોધ્યાધામ રેલવે સ્ટેશન' તરીકે ઓળખાશે.

