Ayodhya Logo: આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રામનગરી અયોધ્યાને સજાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. અયોધ્યામાં ઘણી જગ્યાએ રામ મંદિરનો લોગો લગાવવામાં આવ્યો છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહીં આ લોગોએ ઇન્ટરનેટ પર પણ ધૂમ મચાવી દીધી છે. યુઝર્સે આ લોગો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

