Get App

Eiffel Tower: ‘અલ્લા હુ અકબર'ના નારા લગાવી એફિલ ટાવર પાસે પ્રવાસીઓ પર જીવલેણ હુમલો, જર્મન પ્રવાસીનું મોત

Eiffel Tower: પેરિસમાં એફિલ ટાવર પાસે ચાલતા પ્રવાસીઓ પર ચાકુથી જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં એક જર્મન પ્રવાસીનું મોત થયું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોર ગાઝામાં પેલેસ્ટિનિયનોના મોતથી નારાજ હતો.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2023 પર 6:08 PM
Eiffel Tower: ‘અલ્લા હુ અકબર'ના નારા લગાવી એફિલ ટાવર પાસે પ્રવાસીઓ પર જીવલેણ હુમલો, જર્મન પ્રવાસીનું મોતEiffel Tower: ‘અલ્લા હુ અકબર'ના નારા લગાવી એફિલ ટાવર પાસે પ્રવાસીઓ પર જીવલેણ હુમલો, જર્મન પ્રવાસીનું મોત
Eiffel Tower: આફ્રિકન મૂળના છોકરાને પોલીસકર્મીએ ગોળી મારી

Eiffel Tower: ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોપ્યુલર એફિલ ટાવર પાસે ચાલતા પ્રવાસીઓ પર એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક પ્રવાસીનું મોત થયું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમાનિને કહ્યું કે હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. લોકલ મીડિયા અનુસાર, હુમલાખોરે ગુનો કરતી વખતે અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન હુમલાખોરે એ પણ જણાવ્યું કે તે અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈનમાં મુસ્લિમોની હત્યાથી પરેશાન છે. તેમના મતે ગાઝામાં પેલેસ્ટિનિયનોની નરસંહાર થઈ રહી છે. ત્યાંની પરિસ્થિતિને કારણે તે ખૂબ જ પરેશાન છે. જો કે, લોકલ એજન્સીઓએ આ પ્રકારની કંઈપણ પુષ્ટિ કરી નથી. ગૃહમંત્રીએ ખાલી એટલું જ કહ્યું છે કે આ મામલે તપાસ ચાલુ છે. તપાસ બાદ જ કંઇક કહી શકાશે.

ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમેનિને કહ્યું, "પેરિસમાં શનિવારે રાત્રે 9 વાગ્યા પછી, એક વ્યક્તિએ ક્વાઈ ડી ગ્રેનેલ નજીક એક વિદેશી પ્રવાસી યુગલ પર હુમલો કર્યો. આ જીવલેણ હુમલામાં ફિલિપાઈન્સમાં જન્મેલા એક જર્મન પ્રવાસીનું છરા મારવાના કારણે મોત થયું હતું. તેણે તેની સાથે હાજર મહિલા પર હુમલો કર્યો ન હતો. જે બાદ ત્યાંથી પસાર થઈ રહેલા ટેક્સી ડ્રાઈવરની દરમિયાનગીરી બાદ હુમલાખોર સ્થળ પરથી જતો રહ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેનો પીછો કરીને તેની ધરપકડ કરી.

લોકલ પોલીસને ટાંકીને લોકલ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કટ્ટરવાદી હુમલાખોર ઈસ્લામનો અનુયાયી છે. તે માનસિક રીતે બીમાર લાગે છે. બીજી તરફ, ફ્રાન્સની આતંકવાદ વિરોધી પ્રોસીક્યુટર ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાની તપાસ હજુ સુધી તેમને સોંપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ફ્રાન્સમાં આ પ્રકારના અચાનક હુમલાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ગયા મહિને જ અલ્લાહ હુ અકબરના નારા લગાવતા એક સાથીદારે ગોળીબાર કર્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો